– કૃષિ ક્ષેત્રના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ચાસવડ ખાતે દિલ્હીથી આયોજિત ‘પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના’નો જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોએ દિલ્હી ખાતેથી થતા પ્રસારણને નિહાળીને કેન્દ્ર સરકારની કૃષિને લગતી નવીન નીતિઓ અને ખેડૂતલક્ષી નિર્ણયો વિશે સીધી માહિતી મેળવી હતી. જીવંત પ્રસારણ બાદ, કેન્દ્ર પર ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ જેમ કે કૃષિ સહાય, બિયારણ સબસિડી, પાક વીમા યોજના અને આધુનિક ખેતીની તકનીકો વિષે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. KVK ચાસવડ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરીને ખેડૂત સમુદાયના જ્ઞાન અને આવકમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.