Nari Prahar

News Website

ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી

ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ  યોજનાઓ અમલી
Views: 36
0 0

Read Time:1 Minute, 33 Second

ભરૂચ – ગુરૂવાર – નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભરૂચ ધ્વારા જણાવવામાં આવે છે કે વર્ષ: ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજના ના.સરકાર શ્રી ધ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. ૧ .બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ ૨.રાઈઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્ર્મ તથા૩.ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ

આ ત્રણ યોજનાઓનો લાભ મેળવવા માટે જિલ્લાના ખેડુતો માટે તા.૨૦/૦૫/૨૦૨૬ થી તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી એક મહિના માટે આઇ ખેડૂત પોર્ટલ (I-Khedut) ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેથી કરીને વહેલા તે પહેલા ના ધોરણે યોજનઓનો લાભ લેવા માટે ઈચ્છુક ખેડુત મિત્રોએ તાત્કાલિક અરજી કરી દેવી.

નોંધ : આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરતાં પહેલા ખેડુતોએ નોંધણી કરવી ફરજિયાત છે, ત્યાર બાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

અરજી કરવા માટેની લિંક : https://ikhedut.gujarat.gov.in/site/ તેમ નાયબ બાગાયત નિયામકશ્રી ભરૂચની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %