Nari Prahar

News Website

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ.

Views: 8
0 0

Read Time:1 Minute, 27 Second

ભરૂચ – ગુરુવાર – અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત નગર પાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સ્વસ્થ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝર અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંર્તગત સ્વચ્છતા રેલી , સ્વચ્છ વોર્ડ સ્પર્ધા સહીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં શહેરની શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ જોડાઈ હતી. સામાજિક સંસ્થા અને વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને રંગોળીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %