Nari Prahar

News Website

ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં લાગ્યું આટોમેટિક વેધર સ્ટેશન, દર 15 મિનિટે મળશે હવામાનની જાણકારી…

Views: 70
0 0

Read Time:1 Minute, 57 Second

નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તક ભરૂચની મકતમપુર કૃષિ મહાવિદ્યાલય ખાતે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ , નવી દિલ્લી દ્વારા સંચાલિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત ઓટોમેટીક વેધર સ્ટેશન લગાવવામાં આવ્યું છે .ભરૂચમાં લગાવાયેલ સૌ પ્રથમ ઓટોમેટીક વેધર સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડો . કે . જી . પટેલ એ જણાવ્યું છે કે, કપાસ સંશોધન કેન્દ્ર ખાતે ઓટોમેટીક વેધર સ્ટેશન લગાડવામાં આવ્યું છે અને જે દર 15 મિનિટે અલગ અલગ હવામાન પરિબળોના આંકડા પ્રદાન કરશે . ઓટોમેટીક વેધર સ્ટેશનનો ઉપયોગ સંશોધન કાર્યો તેમજ ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ માટે ઉપયોગી થશે.

ઓટોમેટિક વેધર સ્ટેશન દર પંદર મિનિટે હવામાનના અલગ અલગ પરિબળો મુખ્યત્વે વરસાદની માત્રા , હવાની ગતિ અને દિશા , તાપમાન , હવામાં ભેજનું પ્રમાણ અને હવાનું દબાણની માહિતી આપશે. વેધર સ્ટેશન દ્વારા મળેલા આધાર ઉપર ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા કોઈ પણ ક્ષેત્ર નું હવામાન પૂર્વાનુમાન જાણી શકીએ છીએ . આ યોજના અંતર્ગત ભરુચ જિલ્લાના ખેડૂતોને દર મંગળ અને શુક્રવારે આગામી પાંચ દિવસોમાં હવામાન કેવું રહેશે તેના દ્વારા હવામાન આધારિત કૃષિ સલાહ બુલેટિન વોટ્સએપ ના માધ્યમથી ખેડૂતોને પ્રદાન કરવામાં આવે છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %