ભરૂચ જીલ્લામાં રથયાત્રાના દિવસે વરસાદ વરસ્ય બાદ અદ્રશ્ય થઇ ગયો છે જેના કારણે અસહ્ય બાફની અનુભૂતિ થઇ રહી છે.ભરૂચ જિલ્લાવાસીઓ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. મેઘરાજા રથયાત્રાના દિવસે સાંજે મન મુકીને વરસ્યા હતા ત્યાર બાદ અદ્રશ્ય જ થઇ ગયા છે. આકાશમાં વાદળો તો બંધાય છે પરંતુ વરસતા નથી. અને તેના કારણે જિલ્લાવાસીઓ અસહ્ય બાફની અનુભૂતિ કરી રહ્યા છે.જુલાઈ મહિનો તેના મધ્યાંતરે પહોચ્યો છે પરંતુ હજુ જીલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી પરંતુ મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેમ વરસી નથી રહ્યા. જિલ્લાવાસીઓ વરસાદ વરસે અને બફારામાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.