આણંદ શહેર ખાતે થી મોહમ્મદ પયમ્બર(સલલ્લાહોલહુ તાઆલા અલયહી વસલ્લમ) ના જમાઈ અને ઇસ્લામ ના ચોથા ખલીફા હજરત અલી ના જન્મ દિવસ નિમિત્તે ગતરોજ રાત ના 9 કલાકે સૈયદ શાહીદ અલી બાપુ ની આગેવાનીમાં જુલૂસે હૈદરી માનવામાં આવ્યો હતો.આ જુલૂસ અલમ શરીફ સાથે સૈયદ શાહીદ અલી બાપુ ના ઘર થી આગમન કરી આનંદ ભાલેજ ઓવર બ્રીજ ના છેડે થી ફાટક રોડ થઈ ને યુનિટી હોલ કુરેશી મોહલ્લા પાસે જુલૂસ ના ભવ્ય સ્વાગત સાથે સંપન્ન કરવામાં આવ્યું હતું.જુલૂસ માં હજરત અલી ના કસિદા ની ધૂન થી ઉપસ્થિત લોકો હૈદરી રંગ માં રંગાઈ ગયા હતા.આ પ્રસંગે સૈયદ શાહિદ અલી બાપુ,સૈયદ અબ્રાર અલી બાપુ સૈયદ જલાલી બાપુ, સૈયદ વારિશ અલી બાપુ, ફિરોજ મોગરીયા મહામંત્રી અને આણંદ શહેર ના તમામ ઉલ્માંએકિરામ તથા તમામ આગેવાનો સહિત ગ્રુપો જોડાયા હતા.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.