Nari Prahar

News Website

આ લેડી ડોકટરે પહેલા બાળકો અને પતિની હત્યા કરી અને પછી પોતે પણ કરી લીધો આપઘાત

Views: 89
0 0

Read Time:2 Minute, 18 Second

મહારાષ્ટ્રનાં નાગપુરથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં મહિલા ડોકટરે પહેલાં પતિ અને કુલ 2 સગીર બાળકોની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. પોલીસનું કહેવું છે, કે ધીરજ અને બાળકોની લાશ બેડરૂમનાં પલંગ પરથી મળી આવી હતી. ડોક્ટર સુષ્માની લાશ પંખાથી લટકતી જોવાં મળી હતી.

એક સાથે રહેતાં મૃતકની કુલ 60 વર્ષની વૃદ્ધ કાકીએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને કોઈ જવાબ મળ્યો ન હતો. તેથી તેણે આ અંગે પડોશીઓ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળ પર પહોંચતાં પોલીસે દરવાજો તોડી નાખ્યો હતો અને અંદરથી ભયજનક દ્રશ્ય જોઇને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, કે ડોક્ટર સુષમાએ પતિ અને બાળકોને ભોજનમાં બેભાન થવાં માટેની વસ્તુ ભેળવી હતી. તે પછી તેણે બાળકો અને પતિને દવા પીવડાવી દીધી હતી, જેના કારણે તેઓનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ તેણે પંખાની સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસને ઘટનાસ્થળ પરથી કુલ 2 સિરીંજ અને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં ડોક્ટર સુષ્માએ લખ્યું છે, કે તેણે આ પગલું ભર્યું કારણ કે તે તેના જીવનથી ખુશ નથી. પોલીસે લાશને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે તથા રિપોર્ટ આવ્યા બાદ તેઓ વધુ તપાસ પણ કરી રહ્યા છે.

આ ઘટના બાદ વિસ્તારનાં લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયાં છે અને પરિવારનાં સભ્યોની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. ડો.સુષ્મા રાણેનાં પતિ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રોફેસર હતાં. તેમને કુલ 2 બાળકો પણ હતા. એમાંથી મોટાંની ઉંમર કુલ 11 વર્ષ તેમજ નાનાની કુલ 5 વર્ષની હતી.

વધુ તપાસ કરી રહી છે પોલીસ

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %