ગઝલલેખન માટે ગુજરાતભર માં જાણીતા મૂળ બહાદરપુર ગામ ના વતની અને સિનિયર સિટીઝન ગ્રુપ કેનેડા દ્વારા પાંગરતીપ્રતિમા એવોર્ડ થી સન્માનિત ‘બેબસ’ બહાદરપુરી, (અનવર વોરા) નો આજે ૩૦ જુલાઈ ના રોજ જન્મ દિવસ છે, તેઓ લેખનનો ઊંડો શોખ ધરાવે છે. ગીત, ગઝલ અને સ્ક્રિપ્ટ રાઈટર તેમજ ગાયક તરીકે જાણીતા છે અને ‘બેબસ’ બહાદરપુરી તરીકે સાહિત્ય જગતમાં આગવી ઓળખ ધરાવે છે. “અશ્રુ નો આસ્વાદ” એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ૨૦૨૦માં બહાર પડ્યો અને બીજો સંગ્રહ “અશ્રુ ની ઓળખ” ૨૦૨૩ માં બહાર પડયો. એમનો ત્રીજો ગઝલ સંગ્રહ “આથમતા સૂરજ ને અજવાળે” ટુંક સમય માં પ્રકાશિત થશે, તેઓ ગઝલ લેખન સાથે સાથે વિવિધ વિષયો પર સ્ક્રીપ્ટલેખન, અભિનય, રંગમચ માટે નાટ્યલેખન, દિગ્દર્શન અને ગાયકી નો શોખ ધરાવે છે, ગુજરાત ના વિવિધ ન્યૂઝ પેપરો માં જેમની ગઝલો નિયમિત રૂપે પ્રકાશિત થાય છે અને ભ.સ.ગુજરાતી સાથે ગ્રેજયુએટ સુધી અભ્યાસ કરી અત્યારે ગુજરાત.એસ.ટી.નિગમ, વડોદરા માં ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા અનવર બહાદરપુરવાલા, ઉર્ફે ‘બેબસ’બહાદરપુરી ને તેમના જન્મ દિવસ પ્રસંગે શુભચિંતકો,ચાહકો અને સાહિત્યપ્રેમીઓ તરફ થી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.