Nari Prahar

News Website

અંકલેશ્વરમાં 9 માર્ગોનું નવીનીકરણ શરૂ:ONGCથી ભરૂચી નાકા સુધીના રસ્તાઓનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

Views: 8
0 0

Read Time:1 Minute, 17 Second

અંકલેશ્વર શહેરમાં રસ્તાઓના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ 9 માર્ગોના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે.આ પ્રોજેક્ટ અંતર્ગત ONGCથી સંતશ્રી ખેતેશ્વર સર્કલ, ભગવાન બિરસા મુંડા સર્કલ અને ભરૂચી નાકા સુધીના માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. આ માર્ગો સ્ટેટ હાઇવે અને માર્ગ-મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાંથી નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.પ્રોજેક્ટ માટે કુલ 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, સિનિયર સિટીઝન ગાર્ડનના રીનોવેશન માટે 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.કાર્યક્રમમાં લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, મુખ્ય અધિકારી કેશવલાલ કલોડીયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સ્થાનિક નગર સેવકો હાજર રહ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %