અંકલેશ્વર અંકલેશ્વરની આમલાખાડી માં ઠલવાયેલુ મૃત માછલીના બિયારણને બહાર કાઢી લેવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો કોથળા ઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી. દૂષિત પાણીને લઇ એક તબક્કે માછલાંના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જો કે જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા કોથળામાં રહેલા માછલાં બિયારણ હોવાનું બહાર આવ્યું હતું. જીપીસીબીની તાકીદ બાદ નોટીફાઇડ વિભાગે ફાયર વિભાગની મદદથી માછલાઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે. અંદાજે 15થી વધુ કોથળા ભરેલ મૃત માછલાં નીકળ્યા હતા.જેને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા માછલાંના બિયારણ મળ્યા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.