અંકલેશ્વર અંકલેશ્વરની આમલાખાડી માં ઠલવાયેલુ મૃત માછલીના બિયારણને બહાર કાઢી લેવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો કોથળા ઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી. દૂષિત પાણીને લઇ એક તબક્કે માછલાંના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જો કે જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા કોથળામાં રહેલા માછલાં બિયારણ હોવાનું બહાર આવ્યું હતું. જીપીસીબીની તાકીદ બાદ નોટીફાઇડ વિભાગે ફાયર વિભાગની મદદથી માછલાઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે. અંદાજે 15થી વધુ કોથળા ભરેલ મૃત માછલાં નીકળ્યા હતા.જેને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા માછલાંના બિયારણ મળ્યા.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.