આગામી 7 મી મે ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા 2024 ની ચૂંટણીને પગલે મતદાન યોજાનાર છે. ત્યારે તે પહેલાં જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખીને કડક કામગીરી કરી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ વેંગણી બેટ, આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકે નહી તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર.ધાંધલે બહાર પાડેલા જાહેરનામા મુજબ સરફુદ્દીન બેટ,દશાન બેટ, મહેગામ બેટ વેંગણી બેટ ,આલિયા બેટ સ્થળો એ કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકશે નહીં આ હુકમ તારીખ 30-3-24થી દિન -60 સુધી અમલ રહેશે.આ હુકમનો ભંગ કરનારને આઈપીસી-188 હેઠળ સજાને પાત્ર ગણાવામાં આવશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.