Nari Prahar

News Website

ભરૂચ જિલ્લામાં આજથી 12થી 14 વર્ષના કિશોરોને કોરોના વેક્સિનેશન શરૂ, 58 હજાર તરૂણોને આવરી લેવાશે

Views: 90
0 0

Read Time:58 Second

ભરૂચ જિલ્લામાં આજે બુધવારથી 12થી 14 વર્ષના કિશોરોને કોવિડ-19 સામે સુરક્ષાકવચ રૂપે વેક્સિનેશનનો આરંભ થયો હતો. આજે પહેલા દિવસે જ ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વેક્સિન મુકાવવા કિશોરોએ ઉત્સાહ દાખવ્યો હતો.ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ ઉપરાંત 12થી 14 વર્ષ સુધી એટલે 2008થી 2010 સુધી જન્મેલા શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. અંદાજીત 58 હજાર બાળકોનું રસીકરણ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન હાથ ધરાયું છે. સાથે જ બીજો ડોઝ લીધાને 9 માસ પુરા કરેલા હોય તેવા 60થી વધુ ઉંમરના નાગરિકો માટે પ્રિકોશન ડોઝનું આયોજન કરાયું છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %