ભરૂચ જિલ્લામાં આજે બુધવારથી 12થી 14 વર્ષના કિશોરોને કોવિડ-19 સામે સુરક્ષાકવચ રૂપે વેક્સિનેશનનો આરંભ થયો હતો. આજે પહેલા દિવસે જ ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વેક્સિન મુકાવવા કિશોરોએ ઉત્સાહ દાખવ્યો હતો.ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ ઉપરાંત 12થી 14 વર્ષ સુધી એટલે 2008થી 2010 સુધી જન્મેલા શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. અંદાજીત 58 હજાર બાળકોનું રસીકરણ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન હાથ ધરાયું છે. સાથે જ બીજો ડોઝ લીધાને 9 માસ પુરા કરેલા હોય તેવા 60થી વધુ ઉંમરના નાગરિકો માટે પ્રિકોશન ડોઝનું આયોજન કરાયું છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.