આમોદ તાલુકાનાં સમની ગામના મસ્જીદ ફળિયામાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 1.42 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આમોદ તાલુકાના સમની ગામના મસ્જીદ ફળિયામાં રહેતા તોષિફ રહેમ્તૂલ્લા સુલેમાન ખલીફા ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે આમોદ ખાતે લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.42 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચોરી અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.