Nari Prahar

News Website

બ્રીજ ભટ્ટને 5 વર્ષથી લાગ્યો ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવાનો રંગ, પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ…

Views: 83
0 0

Read Time:1 Minute, 49 Second

ભરૂચ શહેર જિલ્લામાં વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડાં બનાવતા કારીગરો આગામી વિઘ્નહર્તા ગજાનન ગણેશજી પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયા છે. શહેરમાં રહેતા અનેક કારીગરો માટીમાંથી ગણેશની મૂર્તિઓ બનાવી માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરમાં રહેતા 18 વર્ષીય બ્રિજ સંદીપભાઈ ભટ્ટ છેલ્લા 13 વર્ષથી માટીની ગણેશની પ્રતિમાઓ બનાવી રહ્યો છે.બ્રિજ જયારે 5 વર્ષનો હતો ત્યાંરથી તે ગણેશની અવનવી પ્રતિમાઓ બનાવી પોતાના ઘરમાં રાખતો હતો.જોકે સમય જતા તે ગણેશજીની પ્રતિમાઓ બનાવવા કુશળ કારીગર બનાવી દીધો છે.હાલમાં તે પ્રતિમા બનાવવા વપરાતી સાઢુ માટીમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવી રહ્યો છે. તેને માટીમાંથી બનતી મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગતો હોવાથી એક મહિના પહેલાથી ગણેશની મૂર્તિયો બનાવવાનું શરૂ કરવું પડે છે. લોકડાઉનમાં તેના મિત્રોએ તેને ગણેશની પ્રતિમાઓ બનાવવા ઓર્ડર આપતા તેણે સુંદર ગણેશની પ્રતિમાઓ બનાવી આપતા આ વર્ષે તેના ગણેશજીની પ્રતિમા બનાવવા ઘણા ઓર્ડરો મળ્યા છે.મૂર્તિકાર બ્રિજ ભટ્ટ 3 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમા બનાવી કલર અને શણગાર કરીને રૂપિયા 1 હજારથી 5 હજાર સુધીમાં વેચાણ કરે છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %