કોરોના મહામારીને મ્હાત આપવા વેક્સિનેશન મહત્વનું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 38.37 ટકા લોકોએ કોરોનાની વેેક્સિનનો પ્રથમ અને 88.06 ટકા લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે. જિલ્લામાં થયેલી વેક્સિનેશનની કામગીરીને પગલે એક સમયે 23માં નંબરે રહેલો ભરૂચ જિલ્લો હાલમાં વેક્સિનેશન કરવામાં રાજ્યમાં 10 ક્રમે પહોંચ્યો છે.છેલ્લાં 29 દિવસથી ભરૂચ જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. જેના પગલે હાલમાં ભરૂચ જિલ્લો કોરોનામુક્ત જિલ્લો બન્યો છે. જોકે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની શક્યતાઓને લઇને વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગે આગોતરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવતાં અત્યાર સુધીમાં જિલ્લાના 12.15 લાખ લોકો પૈકી 10.13 લાખ લોકો એટલે કે 83.37 ટકા લોકોએ વેક્સિનેશનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે સેકન્ડ ડોઝમાં સમાવાયેલાં 3.58 લાખ લોકો પૈકીના 3.15 એટલે કે 88.06 ટકા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. જિલ્લાની વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ મળતાં રાજ્યમાં ભરૂચ જિલ્લો વેક્સિનેશનમાં 10માં ક્રમાંકે પહોંચ્યો છે.વેક્સિનેેશનની પ્રક્રિયા સુમેળપણે પુર્ણ થઇ શકે તે માટે જિલ્લામાં 178 કેન્દ્રો ઉભા કરાયાં છે. જેમાં આરોગ્ય વિભાગના 1070 કર્મીઓની 258 ટીમો તબક્કાવાર રીતે વેક્સિનેશનની કામગીરી કરી રહી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.