Views: 94
Read Time:1 Minute, 6 Second
મનુબરના ભેહા તળાવમાંથી યુવાનની વિકૃત લાશ મળી
ભરૂચ તાલુકાના મનુબર ગામે આવેલાં ભેહા તળાવમાંથી આજે ગુરૂવારે બપોરના સમયે એક યુવાનનો વિકૃત થઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ ભરૂચ તાલુકા પોલીસને થતાં ટીમે સ્થળ પર દોડી આવી સ્વયં સેવકોની મદદથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મૃતકના હાથમાં અંગ્રેજીમાં કેએમ તેમજ ગુજરાતીમાં મંજુલા નામનું છુંદણું ગુંથાયેલું જણાયું હતું. જોકે, તેની ઓળખ થાય તે પ્રકારની કોઇ ચોક્કસ સામગ્રી તેની પાસેથી મળી ન હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના મૃત્યુનું કારણ શોધવાની કવાયત હાથ ધરવા સાથે યુવાનની ઓળખ મેળવવા માટેના પણ પ્રયાસો હાથ ધર્યાં હતાં.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.