Nari Prahar

News Website

૧૧મી એપ્રિલે બીજા શનિવારની રજા હોવા છતાં ઉમેદવારી પત્રો સ્વીકારવા માટે કચેરીઓ ખુલ્લી રહેશે

૧૧મી એપ્રિલે બીજા શનિવારની રજા હોવા છતાં ઉમેદવારી પત્રો સ્વીકારવા માટે કચેરીઓ ખુલ્લી રહેશે
Views: 52
0 0

Read Time:1 Minute, 36 Second

ભરૂચ – શુક્રવાર – ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી તા. ૨૬-૦૪-૨૦૨૬ના રોજ યોજાનારી ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૧-૦૪-૨૦૨૬ (શનિવાર) છે.

સામાન્ય રીતે આ દિવસે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોય છે, પરંતુ ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને રાખીને રાજ્ય ચૂંટણી આયોગે મહત્વનો નિર્ણય લીધો છે.ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, ૧૧મી એપ્રિલે રજાના દિવસે પણ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરીઓ નિયમિત રીતે ખુલ્લી રહેશે.

આ દિવસે ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ આ ફેરફારની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. તેમ ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %