Nari Prahar

News Website

ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દ્વારા કમોસમી વરસાદ બાદ ટ્રાફિક સરળ બને તથા લોકોની અવર- જવર સુરક્ષિત બને તે માટે રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરાઇ

Views: 6
0 0

Read Time:2 Minute, 0 Second

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ભરૂચ દ્નારા મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી અને વરસાદને કારણે ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઈ હતી. જેને ધ્યાને રાખીને હાલ વરસાદ રહી જતાં રસ્તાઓની પેવર થી ડામરના પટ્ટા મરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથોસાથ સરકારશ્રી દ્વારા મંજૂર થયેલા રિસર્ફેસિંગના કામોનું પણ પૂર જોશમાં મજબૂતીકરણની કામગીરી ચાલુ કરવામા આવી છે. સામાન્ય જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર વિભાગની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની મરામતની પૂરજોશમા કરવામાં રહી આવી છે. મશીનરી અને માનવ શક્તિનો સંકલિત ઉપયોગ કરી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.જેના કારણે રસ્તાઓની મરામત અને પેચવર્કથી રસ્તાઓની ગુણવત્તા સુધરશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે. અત્રે, ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાઓની મરામત, પેચવર્કના કામની શરૂઆત કરવામાં આવી છે. તેમજ ઝાડી ઝાંખરા હટાવી રસ્તાઓની આસપાસના વિસ્તારોને સ્વચ્છ, સુરક્ષિત અને આકર્ષક બનાવવાની કામગીરી પણ થઈ રહી છે. વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે અંકલેશ્વરથી – રાજપીપળાને જોડતો માર્ગ, રાજપારડી થી નેત્રંગને જોડતા રોડ પર પેવર થી ડામરના પટ્ટા તેમજ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %