Nari Prahar

News Website

સરકારના અમે ઋણી છીએ, અણધારી આફત સામે ખડા પગે ઉભા રહી અમને રાહત આપી છે. – ખેડૂતશ્રી જમયલ પટેલ

Views: 8
0 0

Read Time:1 Minute, 44 Second

ભરૂચ – રવિવાર – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદના કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને વધાવતા અંકલેશ્વર તાલુકાના ખેડૂત જમયલ મગન પટેલ શ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સંવેદનશીલ અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લીધો છે. ત્યારે અમે સરકારના ખૂબ ઋણી છીએ. અણધારી આફત સામે ખડા પગે ઉભા રહી રાહત આપી છે. આ પેકેજમાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે જે પણ એ સરાહનીય પગલું છે. ગુજરાતમાં ખુબ સારો નિર્ણય લેવાયો છે. રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બે હેક્ટર જમીન દીઠ રૂ. ૪૪૦૦૦ માટે સહાય આપવામાં આવશે જેને ભરૂચ જિલ્લાના દરેક ખેડૂત મિત્રોએ આવકાર્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં સહાયરૂપ બનવા બદલ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %