Nari Prahar

News Website

કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ દ્વારા કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાન અંગે મુખ્યમંત્રીને રજુઆત

Views: 10
0 0

Read Time:1 Minute, 18 Second

કરજણ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકો હાલ કાપણીના તબકકે હોવાથી, અચાનક પડેલા વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.આ પરિસ્થિતિને ધ્યાને લઇ કરજણ-શિનોર-પોરના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ, નિશાળીયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખાસ રજુઆત કરી છે.તેમણે રાજ્ય સરકારને તાત્કાલિક સર્વેક્ષણ કરીને પાકને થયેલ નુકશાનનું યોગ્ય મૂલ્યાંકન કરી, ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત સહાય ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે.સતિષભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશાં ખેડૂત હિત માટે પ્રતિબદ્ધ રહી છે અને હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક સહાયતા મળવી અત્યંત જરૂરી છે.

રિપોર્ટર – તસ્લીમ પીરાંવાલા, કરજણ.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %