Nari Prahar

News Website

પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો સાથે રક્ષાબંધન નો કાર્યક્રમ.

Views: 146
0 0

Read Time:1 Minute, 39 Second

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેન્દ્ર, લાયન્સ ક્લબ ઓફ ગોધરા તથા પંચમહાલ પત્રકાર એકતા પરિષદ ના સમન્વયથી બ્રહ્માકુમારી કેન્દ્ર છારીયા ખાતે દિવ્ય રક્ષાબંધન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતના સાનિધ્યમાં ચારે બાજુ લીલી હરિયાળી ડુંગરાળ વિસ્તારની મધ્યમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે રક્ષાબંધનનો અલૌકિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. બ્રહ્માકુમારી ના બીકે સુરેખા દીદી તથા બીકે રતન દીદી એ રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવ્યો હતો. વધુમાં બીકે સુરેખા દીદી એ જણાવ્યું હતું કે વર્તમાન સમય એકતા અને વિશ્વાસના વાતાવરણની ઘણી જરૂરિયાત છે જે આધ્યાત્મિકતાથી જ શક્ય બની શકે તેમ છે જેનો દિવ્ય સંદેશો પાઠવ્યો હતો. અત્યારના સમયમાં મહેનત વગર કઈ પ્રાપ્તિ થતી નથી. મન સ્વસ્થ રહે, તન તંદુરસ્ત રહે,ધનથી સંપન્ન, પારિવારિક સુખ રહે આમ તન મન ધન આ ચાર પ્રકારનું સુખ હોય તો જ સાચું સુખ કહેવાય. એકાગ્ર ચિત માટે યોગ સાધના ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબના સભ્યો તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %