Nari Prahar

News Website

કરજણના વલણથી ધુલિયા લઇ જવાતી બંને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 27 ભેંસોનો જીવ બચાવાયો….

Views: 6
0 0

Read Time:1 Minute, 27 Second

કરજણ તાલુકાના વલણ ગામથી ભેંસોને કોઇ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઇ જવાતી હોવાની બાતમી આશિષ સોની અને તેમની ટીમને મળી હતી. તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી પોલીસ જવાનો સાથે રાજપીપળા ચોકડી પાસે આવેલી વર્ષા હોટલ પાસે વોચ ગોઠવી હતી…

બાતમી મુજબની બે ટ્રક આવતાં તેને રોકવામાં આવી હતી.
મળેલી પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ બંને ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતા પૂર્વક બાંધેલી 27 ભેંસો નજરે પડી હતી.પોલીસે ટ્રક ચાલક જીશાન મન્સૂરી, ક્લીનર ઇમરાન જમાદાર, બીજા ટ્રકના ચાલક આરીફ શેખ અને આબીદ સુલ શેખની પૂછપરછ કરી હતી.તેમની પાસે પશુની હેરફેર માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો ન મળતાં ચારેયની ધરપકડ કરી છે. રૂ. 2.70 લાખની કિંમતની 27 ભેંસ અને રૂ. 14 લાખની બે ટ્રક મળી કુલ રૂ. 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે…

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %