Nari Prahar

News Website

વીજ કરંટ લાગતા 2 ગાયના મોત:અંકલેશ્વર GIDC વિસ્તારમાં વીજ પોલ નજીક ખાડામાં પાણી પીવા જતાં 2 ગાયના મોત; પશુપાલકે કરી સહાયની માગ

Views: 50
0 0

Read Time:1 Minute, 23 Second

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હતા.અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ એક દુર્ઘટના સર્જાય હતી. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલા કનોડીયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો. આ દરમિયાન વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા 2 ગાયના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે, તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નિપજતા તેઓને મોટું આર્થિક નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવી તેવી પશુપાલક દ્વારા માગ કરવામાં આવી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %