ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હતા.અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ એક દુર્ઘટના સર્જાય હતી. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલા કનોડીયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો. આ દરમિયાન વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા 2 ગાયના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે, તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નિપજતા તેઓને મોટું આર્થિક નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવી તેવી પશુપાલક દ્વારા માગ કરવામાં આવી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.