ભરૂચની વટારીયા સુગરે રાજયની 12 ફેકટરીઓમાંથી સૌથી ઓછા શેરડીના ભાવ આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે. આજે ફરી ખેડૂતો આવ્યા ત્યારે પણ નહિ હોવાથી ખેડૂત સભાસદોનો ગુસ્સો આસમાને પોહચી ગયો હતો.હવે સભાસદોએ આ કસ્ટોડિયન કમિટીના રાજીનામાની માંગ કરી ચૂંટણી લાવવા માગ કરી હતી.સભાસદોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 66 હજાર ખાંડના દાગીના ઓછા બન્યા છે જેથી 3 હજાર લેખે તેમાં 19.80 કરોડની ખોટ થઈ ગઈ છે. કસ્ટોડિયન કમીટીએ ગામેગામ ફરીને પારદર્શક વહીવટનાં બણગાં ફૂંકતી હતી.હાર્વેસ્ટર, મજૂરો, બળદગાડા વગેરે પૂરતા પ્રમાણમાં હોવા છતાં કસ્ટોડિયન અધિકારીના વહીવટ કરતા આ કસ્ટડીયન કમિટીએ 13 હજાર ટન શેરડીનું પિલાણ કરેલ છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.