ગતરાત્રી ના અગિયાર વાગ્યા બાદ કોઈપણ સમયે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આવતી કોઈ ટ્રેન ની અડફેટે આવી જતા એક આધેડ વય ના અજાણ્યા વ્યક્તિ ને માથા માં અને શરીર પર ગંભીર ઇજા પોહચતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજેલ છે. બનાવ ની જાણ અંકલેશ્વર’એ’ડિવિઝન પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પોહચી ગયેલ ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતદેહ ને પી.એમ. અર્થે લઈ જવા માટે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો સંપર્ક કરવામાં આવેલ ધર્મેશ સોલંકી અને ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પોહચી મૃતદેહ ને ઝાડીઓ માંથી બહાર કાઢી પી. એમ.અર્થે ગડખોલ પી.એસ.સી.સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.