Nari Prahar

News Website

ભરૂચમાં મચ્છરોનો વધતો ઉપદ્રવ પણ ફોગિંગ મશીનના ઠેકાણાં નથી

Views: 54
0 0

Read Time:1 Minute, 20 Second

ભરૂચ શહેરમાં મચ્છરોના વધી રહેલાં ઉપદ્રવ વચ્ચે પાલિકામાં વાહનોના અભાવે ફોગિંગની કામગીરી બંધ હોવાથી રોગચાળો ફેલાવાની ભિતિ સેવાઇ રહી છે. ગત ડિસેમ્બર મહિનામાં વિપક્ષના સભ્યોએ મેલેરિયા વિભાગમાં રેઇડ કરી હતી અને તે સમયે ફોગિંગ મશીનો બંધ હાલતમાં તેમજ મશીન ચલાવવા વાહન અને કર્મચારીઓની અછત હોવાનું સામે આવ્યું હતું. એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મેલેરિયા વિભાગે હજી કઇ બોધપાઠ લીધો ન હોય તેમ લાગી રહયું છે. ભરૂચ શહેરના 80 હજારથી વધારે મકાનો તથા 17 કિમીનો વ્યાપ ધરાવતાં શહેરને મચ્છરોથી મુકત રાખવાની જવાબદારી મેલેરિયા વિભાગના શિરે છે અને હાલ મેલેરિયા વિભાગમાં 44 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહયાં છે. હાલમાં નાના-મોટા દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહયાં છે ત્યારે પાલિકા સત્તાધીશો ફોગિંગની કામગીરી શરૂ કરાવે તે જરૂરી બન્યું છે નહીતર ડેન્ગયુ સહિતની બિમારીઓ ફરીથી માથુ ઉંચકી શકે છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %