Nari Prahar

News Website

આંગણવાડી જર્જરિત:ખુલ્લામાં બેસી શિક્ષણ મેળવવા ભુલકાઓ મજબુર

Views: 145
0 0

Read Time:1 Minute, 7 Second

આમોદની પુરસા રોડ નવી નગરીમાં આવેલી આંગણવાડી માં વરસાદી પાણી ટપકતા નાના ભૂલકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી. આમોદમાં ગતરોજ ચાર કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં આમોદમાં પુરસા રોડ નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડી બિસ્માર હાલતમાં હોય ધાબા ઉપરથી પાણી ટપકતા આંગણવાડીમાં પાણી પાણી થઈ ગયું હતું.જેથી આજે સવારે આંગણવાડીમાં આવેલા નાના બાળકોને આંગણવાડી બહાર ખુરશી માં બેસાડવાની નોબત આવી હતી.જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે આંગણવાડી કાર્યકર રેખાબેન પરમારે જણાવ્યું હતું કે અમારી આંગણવાડી જર્જરિત હોવાથી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.છતાં રીપેરીંગ કરવામાં આવી નથી જેના કારણે આજે વધુ વરસાદને કારણે ધાબા ઉપર નું પાણી ટપકતાં આંગણવાડીમાં પાણી થતાં બાળકોને બહાર બેસાડવા પડ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %