આમોદની પુરસા રોડ નવી નગરીમાં આવેલી આંગણવાડી માં વરસાદી પાણી ટપકતા નાના ભૂલકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી. આમોદમાં ગતરોજ ચાર કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં આમોદમાં પુરસા રોડ નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડી બિસ્માર હાલતમાં હોય ધાબા ઉપરથી પાણી ટપકતા આંગણવાડીમાં પાણી પાણી થઈ ગયું હતું.જેથી આજે સવારે આંગણવાડીમાં આવેલા નાના બાળકોને આંગણવાડી બહાર ખુરશી માં બેસાડવાની નોબત આવી હતી.જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે આંગણવાડી કાર્યકર રેખાબેન પરમારે જણાવ્યું હતું કે અમારી આંગણવાડી જર્જરિત હોવાથી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.છતાં રીપેરીંગ કરવામાં આવી નથી જેના કારણે આજે વધુ વરસાદને કારણે ધાબા ઉપર નું પાણી ટપકતાં આંગણવાડીમાં પાણી થતાં બાળકોને બહાર બેસાડવા પડ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.