વડોદરાના માલસર અને ભરૂચના ઝઘડિયાના અશા ગામ વચ્ચે નર્મદા નદી ઉપર રૂપિયા 233 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3.5 કિલોમીટર લાંબા બ્રિજનાં આકાશી દૃશ્યો સામે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજના લોકાર્પણ માટે તંત્રએ PMOમાં તારીખ માગી છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરાના માલસર ગામની વચ્ચે નર્મદા નદી પર 233 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવા માટે 20 કિમીનું અંતર ઘટશે, જેથી વાહનચાલકોનાં સમય અને ઇંધણનો બચાવ થશે.ઝઘડિયાના અશા ગામની સામેના કિનારે માલસર ગામ આવેલું છે. હાલમાં બંને ગામ વચ્ચે નાવડીઓ મારફત લોકો અવરજવર કરે છે. ઝઘડિયા તાલુકાનાં ગામોમાંથી વડોદરા તરફ જવા માટે ભરૂચ અથવા રાજપીપળા થઇને જવુું પડતું હોય છે, તેથી બાઇક કે સ્કૂટરને નાવડીમાં મૂકી લોકો નદી પાર કરતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે અશા અને માલસર વચ્ચે 233 કરોડ રૂપિયાના ખર્ચથી પુલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી.3.5 કિલોમિટરની લંબાઇ અને 16 મીટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો 900 મીટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થશે. બાકી અશા તરફ 600 મીટર અને માલસર સાઇડ 2 કિલોમીટરનો ભાગ છે. હવે બ્રિજ બની ગયા બાદ વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજુ જતા વાહનવ્યવહારને સરળતા થશે. આ બ્રિજ બનતાંની સાથે જ વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડા, મહારાષ્ટ્ર જવા માટે 20 કિમીનું અંતર આછું થઈ જશે.ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પુલ બનાવાયો છે. બ્રિજને 16 પિલ્લર પર ઊભો કરવામાં આવ્યો છે. ઉપરાંત રિટેઇનિંગ વોલ, સાઇડ વોલ, ગર્ડર કાસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. આ બ્રિજ વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વહેલી તકે PMના હસ્તે બ્રિજનું લોકાર્પણ થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.