વાગરાના કચ્છીપુરા ગામ પાસે ઓએનજીસીના વેલમાંથી લિકેજ થયેલાં ઓઇલના ખાબોચિયામાં ફસાવાથી 25 જેટલાં ઊંટના મોત થયાં હતાં. જેમાં જીપીસીબીએ કંપનીને 50 લાખનો દંડ પણ કર્યો હતો. દરમિયાનમાં વાગરાના જ કદોડરા ગામ પાસે આવેલી ઓએનજીસીની વેલની કુંડીમાં એક ગાય પડી જતાં ફસાઇ ગઇ હતી.ચારથી પાંચ ફૂટ ઉંડી કુંડીમાં ફસાયેલી ગાયનું માત્ર મોઢું બહાર રહે તેવી સ્થિતી વચ્ચે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી ગાય અંગે કડોદરા ગામના સરપંચ યોગેશ ગોહિલે ઓએનજીસીના જીજીએસ 4ના ઇન્સ્ટોલેશન મેનેજર સતિષ ગડલીંગને ઘટનાથી વાકેફ કરતાં તેમણે ટીમ સાથે દોડી આવી જેસીબીની મદદથી ગાયને બહાર કાઢી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, વેલમાંથી કેમિકલ લિક થતાં આસપાસમાં કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.