ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેનનો ટ્રેક નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ પ્રોજેકટ ભરૂચ જિલ્લાના પરિએજ તથા આસપાસના ગામોના ખેડૂતો માટે સમસ્યાનું સર્જનહાર બન્યો છે. વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે.પરીએજ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર પરીએજ ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક નાખવામાં આવી રહયો છે. ચોમાસું શરૂ થઇ ચુકયું છે પણ વરસાદી પાણીનો નિકાલ અટકી જવાના કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થઇ ગયો છે.એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કામગીરી દરમિયાન ખેતરમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ લાવવા માંગ કરવામાં આવી હતી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના અધિકારી ને પણ જાણ કરી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે રજૂઆત કરાઇ હતી પણ કોઇ કાર્યવાહી ન થતાં આજે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે. હાલ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના કામ ને લઈ ભારે આક્રોશ સાથે ખેતરમાં થતા નુકશાન નું વળતર કોણ આપશે એ ધરતીપુત્રો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.