ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ અલગ-અલગ પ્રકારના કેમિકલનુ ઉત્પાદન કરે છે. કંપનીમાં ફરજ બજાવતા એસોસિયેટ ફેમિલી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી કંપની મેનેજમેન્ટમાં નવા લદાયેલા નિયમનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં જે કર્મચારીઓ કંપનીમાં ફરજ બજાવે છે તેમને અન્ય કંપનીમાં જવા માટે રાજીનામું મૂકવું પડે છે તે રાજીનામા બાદ એક માસ સુધી કંપનીમાં ફરજ બજાવી પડતી હોય છે તેવા નિયમ લાગુ હતો.પરંતુ આરતી ઈન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટ દ્વારા એક માસના બદલે ત્રણ માસ સુધી રાજીનામા બાદ કંપનીમાં ફરજ બજાવી ફરજિયાત કરી હોવાનો નિયમ લાવતા એસોસિએટ ફેમિલી કર્મચારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ કંપનીના સેંકડો કર્મચારીઓ દ્વારા કંપની સંકુલમાં એકત્ર થઈ સૂત્રોચાર સાથે કંપની દ્વારા ત્રણ માસ સુધી ફરજ બજાવી ફરજીયાત હોવાનો નિયમ લાદી દેવામાં આવતા વિરોધ કર્યો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.