આઇઓસીએલ રિફાઇનરી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સિક્યુરિટી ગાર્ડે તેમને જાણ કરી હતી કે, પાદરિયા ગામ પાસે કેટલાંક લોકોએ જેસીબીથી ખોદકામ કરતાં કેબલ તોડી મિલ્કતની 4.50 લાખનું નુકશાન કર્યું છે. જેમાં તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, પાદરિયા ગામે આઇઓસીની જે પાઇપ લાઇન પાસ થાય છેતે જમીનના મુલ માલિક દિલીપ પટેલ છે. તેમણે જમીન સોમાભાઇ ગોહિલને ભાડે આપી છે. તેમણે તે જમીન વુડ એન્ડ વોલ કંપનીના કોન્ટ્રાક્ટર નિતીન માથુરને મજુરોને રહેવા શેડ બનાવવા ભાડે આપી છે.શેડ બનાવતી વખતે આઇઓસીના સિક્યુરિટી સુપરવાઇઝરે તેમને પાઇપાલઇન અંગે જાણ કરી ત્યાં ખોદકામ ન કરવા જણાવ્યું હતું. તેમજ ત્યાં ખોદકામ ન કરવા અને પાઇપ લાઇન અંગેનું બોર્ડ પણ મારેલું છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર નિતિન માથુર, તેમના સુપરવાઇઝર ,ગિરીષશ તેમજ જેસીબી ઓપરેટર હસમુખે ગટરનું પાણી કાઢવા ખોદકામ કરતાં નુકશાન થયુંહતું. જેના પગલે તેમણે દહેજ પોલીસમાં ફરિયાદ આપી હતી.
પરવાનગી વિના ખોદતા પાઇપ લાઇનને નુકસાન થતાં ફરિયાદ
Views: 93
Read Time:1 Minute, 32 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.