એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં વનરાજાના ઘેર નાના બે સિંહ બાળનું આગમન બંને નું નામ કરણ કરવામાં આવ્યું, એકનું નામ સિમ્બા અને બીજાનું નામ રેવા નામ રાખવામાં આવ્યું. છ મહિના ની ઉમર થતા સશક્ત બાળ સિંહો ને પ્રવાસીઓ જોઈ શકે એ માટે તેની માતા સાથે બહાર સિંહ પાંજરામાં રાખવામાં આવ્યા છે પ્રવાસીઓ જે જોઈને આનંદ અનુભવી રહ્યા છે.કેવડિયા જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું કે માનવ સર્જિત જંગલ છે જેમાં તમામ દેશી વિદેશી પ્રાણીઓ પશુઓ અહીંયા એવા સેટ થઇ ગયા છે કે તેઓ પોતાની પેર બનાવી રહ્યા છે. આમ નર્મદા જંગલ સફારીમાં પ્રાણીઓની પ્રજનન અને સંવર્ધન બંને સારીરીતે થઇ રહ્યું છે.અહીંયા ભારતની ઝુ ઓથોરિટી એ નિર્ધારિત કરેલા તમામ માપદંડો ને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે.પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓના બચ્ચા પછી બે સિંહ બાળ જન્મ્યા હતા. છ મહિના તેની દેખભાળ કર્યા બાદ જયારે સશક્ત બન્યા છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.