Nari Prahar

News Website

માંડવા ગામના યુવકે કેબલ બ્રિજ પરથી નર્મદા નદીમાં ભૂચકો માર્યો

Views: 83
0 0

Read Time:1 Minute, 27 Second

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતા 27 વર્ષીય યુવાને કેબલ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા ભરૂચ નગરપાલિકા ફાયર ના જવાનો એ નર્મદા નદી માં શોધખોર શરુ કરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના માંડવા ગામ ના વાળંદ ફળીયા માં રહેતા 27 વર્ષીય ઝાકીર સઈદ મુલતાની એ કોઈક અગમ્ય કારણોસર નેશનલ હાઇવે નંબર 48 પર ના કેબલ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોત ની છલાંગ લગાવી હતી.જે અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ભરૂચ નગરપાલિકા ના ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયર ના જવાનો દોડી આવ્યા હતા, અને ઝાકીર ના મૃતદેહને નર્મદા નદી માં શોધખોર શરુ કરી છે , જોકે હજી સુધી તેનો મૃતદેહ મળી આવ્યો ન હતો ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ શરુ કરી હતી,પોલીસને કેબલ બ્રિજ પરથી જાકીર ની બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા, જેના પરથી તેની ઓળખ કરવામાં આવી હતી શહેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %