અંકલેશ્વરમાં આમલાખાડીનો બ્રિજ ઉતરી ટ્રક સીધી આઝાદ શટર નામની દુકાનમાં ઘૂસી જતા બે બાઇક અને દુકાનમાં ભારે નુકશાની થઈ હતી. સુરતથી ભરૂચ તરફ આવી રહેલી એક ટ્રક અંકલેશ્વર આમલાખાડી બ્રિજ ઉપરથી રવિવારે સવારે પસાર થઈ રહી હતી. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હવા મહેલ પાસે ટ્રક દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી.બનાવમાં આઝાદ શટર નામની દુકાન અને બે બાઇકોને ભારે નુકશાન પોહચ્યું હતું. જોકે, સવારનો સમય હોવાથી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અગાઉ પણ એક ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા હાઇવેને અડીને આવેલી આ દુકાનમાં ઘૂસી ગઈ હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.