Nari Prahar

News Website

ભરૂચ : ખનીજ માફીયાઓ ભરૂચ જિલ્લામાં બની રહ્યા છે બેફામ, ખાણ ખનીજ, આર.ટી.ઓ તેમજ પોલીસના છૂપા આશીર્વાદ?

Views: 239
1 0

Read Time:2 Minute, 11 Second

ભરૂચ જિલ્લામાં ખનીજ માફીયાઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ખનીજ માફીયાઓ અવાર નવાર નવા નવા કેમિયાઓ અપનાવી માટીની ચોરી કરી વેચાણ કરતા હોવાની બૂમો ઉઠવા પામી છે દહેજનો ઔદ્યોગિક વિકાસ થતા ઘણા દુષણો અને ગેરકાયદેસર ધંધાઓનો પણ બેફામ વિકાસ થયો છે. ભરૂચ થી દહેજ માર્ગ ઉપર રાત્રીના સમયે બેફામ રીતે ઓવર લોર્ડ હાઇવા ભરી ના તો વજન કાંટાની પાવતી હોઈ છે ના તો હાઇવા ના કોઈ પણ પેપરો હોઈ છે વાગરા તાલુકામાં બેફામ રીતે ખનીજ માફીયાઓ માટીની ચોરી કરી વેચાણ કરતા હોવાની અનેકો રજુઆત કરવામાં આવે છે છતાં જાડી ચામડીના અધિકારીઓ કાર્યવાહી કરવાનું નામ નથી લઈ રહ્યા જેના ઉપર થી લોક ચર્ચા ચાલી રહી છે કે માટી ચોરો અને અધિકારી વચ્ચે સેટિંગ દોટ કોમ ચાલી રહ્યું છે.

દહેજ પંથકમાં માટી ભરી હાઇવા ચાલકો રોંગ સાઈડમાં હંકારે છે જેનાથી અનેકો અકસ્માત પણ સર્જાઈ છે અને અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે હાલતો ભરૂચ જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ રીતે માટી ભરી બેફામ રીતે હાઇવા હંકારી નિયમો નેવે મૂકી પ્રજા અને સરકાર બંનેનું નુકશાન કરી રહ્યા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

દહેજ પંથકમાં ખનીજ માફીયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગ, આર.ટી.ઓ તેમજ સ્થાનિક પોલીસ કાયદાનું ભાન કરાવશે કે પછી આવ ભાઈ આપણે સરખા આપણે બેવ સરખા જેવી સ્થિતિનું નિર્માણ થાઈ છે એ જોવું રહ્યું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %