Nari Prahar

News Website

અંકલેશ્વરના અડોલમાં રહેણાંક મકાનમાંથી રોકડ અને 15 તોલા સોનું ચોરી અજાણ્યા શખ્સો ફરાર

Views: 86
0 0

Read Time:1 Minute, 10 Second

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં તસ્કરો એક મકાનને નિશાન બનાવી 15 તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 15 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં રહેતાં અંકિતાબેન અલ્પેશ પટેલના પતિ આજે શુક્રવારના રોજ વહેલી સવારે ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર જવા નીકળ્યા હતા. જેના બાદ તેઓ પોતાના ઘરના દરવાજાને તાળું મારી ઉપરના માળે બાળકો સાથે સુવા ગયા હતા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલા 15 તોલા સોનાના ઘરેણાં અને ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %