Nari Prahar

News Website

કેવડિયા-સાબરમતી સી-પ્લેન સેવામાં 7.77 કરોડનો ખર્ચ, રિપેર માટે ગયેલું પ્લેન પાછું આવ્યું જ નહીં!

Views: 92
0 0

Read Time:1 Minute, 53 Second

સાબરમતી રીવરફ્રન્ટ અને કેવડિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી દેશની પેહલી સી-પ્લેન સેવા કાર્યરત કરવા પાછળ અત્યાર સુધી ₹7.77 કરોડનો ખર્ચ થયો હોવાની વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે માહિતી આપી છે. સી પ્લેન સેવા લગભગ એક વર્ષથી કાર્યરત નહિ હોવાનું સરકારે જણાવ્યું છે.ગુજરાત સરકારે ગુરુવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે, અમદાવાદ અને નર્મદા જિલ્લાના કેવડિયા વચ્ચેની સી-પ્લેન સેવા, ઑક્ટોબર 2020 માં ખૂબ ધામધૂમથી શરૂ કરવામાં આવી હતી. જે ઑપરેટર દ્વારા એપ્રિલ 2021 થી બંધ કરવામાં આવી છે.નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે, સેવાને પુનઃપ્રારંભ કરવા માટે, વહીવટીતંત્રે નવા ઓપરેટરને શોધવા માટે ટેન્ડર ફ્લોટ કરવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે. PM એ સરદાર સરોવર ડેમના તળાવમાંથી ટ્વીન-એન્જિન પ્લેનમાં સવારી કરીને અને પછીથી લગભગ 200 કિમીનું અંતર કાપ્યા પછી સાબરમતી રિવરફ્રન્ટના પાણી પર ઉતરાણ કરીને ઉદ્ઘાટન કર્યું હતું.સી પ્લેન સેવાની સ્થિતિ વિશે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના સમૂહના જવાબમાં, પૂર્ણેશ મોદીએ તેમના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સેવા જાળવણી હેતુ માટે પ્રથમ 47 દિવસ દરમિયાન બિન-કાર્યકારી રહી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %