*પત્રકાર એકતા સંગઠન*
ગુજરાત ના 30 જિલ્લાઓ માં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠન ની પાટણ ની મિટિંગ રાધનપુર નર્મદા નિગમ કચેરીના સંવાદ હોલ ખાતે યોજાઇ હતી.
આ મિટિંગ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા , પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાન સિંહ સરવૈયા,, પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ સમીર બાવાણી , પ્રદેશ અગ્રણી અંબારામ રાવલ, નીતિન ઘેલાણી, રાજેશભાઈ જાદવ, ભરતસિંહ રાઠોડ, દિનેશભાઈ કલાલ, હેમૂભા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા તેમજ ઉપસ્થિત મંચસ્ત મહાનુભવો નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
કાર્યક્રમ ની શરૂઆત માં મંચસ્થ મહાનુભવો નું હાજર તમામ પાટણ જિલ્લાના શહેર તેમજ તમામ તાલુકાના પત્રકાર મિત્રોએ પુષ્પ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ પ્રભારી શ્રી એવા ગૌરાગ ભાઈ પંડ્યા એ પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ વિશે હાજર પત્રકાર મિત્રો માહિતગાર કરતા જણાવ્યું કે આ એકમાત્ર સંગઠન એવું છે કે જેમાં હોદ્દાઓની નિમણુક સર્વાનુમતે આપવામાં આવે છે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતું ગુજરાતનું એક માત્ર પત્રકારો નું સંગઠન છે.
પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન માં પત્રકારો ની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા આજ થી 25 વર્ષ પહેલા જે લાભ પત્રકારો ને આપવામાં આવતા હતા તે તંત્ર ની બેદરકારી ને કારણે હાલની સ્થિતિ એ બંધ છે. પત્રકાર એકતા સંગઠન વતી પ્રતિનિધિ મંડળ સાથે શાશક પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે બે તબ્બકા ની બેઠક યોજી મહત્તમ પ્રશ્નો નાં નિરાકરણ આવશે તેવી પત્રકારો ને નવી આશાની જ્યોત આપી છે અને પત્રકારો નાં હિત માટે નિર્ણય અપાવવા નું બીડું ઝડપી હાલ ની સ્થિતિ એ 29 મો જીલ્લો મહેસાણા ની કારોબારી ની રચના કરી હતી.
પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી સર્વાનું મતે જિલ્લા પ્રમુખ તરીકે નાનજીભાઈ ઠાકોર, ઉપ પ્રમુખ તરીકે નરેશભાઈ પરમાર, દિનેશભાઈ ઠાકર, વશરામભાઇ પટેલ તેમજ જે.કે.જોષી , મહા મંત્રી તરીકે ભગીરથસિંહ જાડેજા, નિલેશભાઈ પટેલ, ગોપાલભાઈ સિંધુ તેમજ હિતેશભાઈ ઠાકર , મત્રી તરીકે કિરણભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ તેમજ દત્તેશભાઈ ઠાકર , સહ મંત્રી તરીકે રવિભાઈ દરજી, વિક્રમસિંહ જાડેજા, બળવંતસિંહ રાણા તેમજ વિષ્ણુભાઈ ઠાકર , ખજાનચી તરીકે પ્રકાશભાઈ નાડોદા અને આઇ.ટી. સેલ તરીકે નવીનભાઈ ભોરણીયાની સર્વાનુંમતે વરણી કરાઈ હતી.કાર્યક્રમના અંતે તિથિ ભોજન લઈ સૌ કોઈ છુટ્ટા પડ્યા હતા





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.