ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી લઈ નાના વાસણા સુધીના નર્મદા કિનારા ના પટમાંથી ખૂબ મોટા પાયે રેતીખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે પણ રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા ખેતરોના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની મંજૂરી મેળવ્યા વગર, ખેતીની જમીનને તથા પાકને નુકસાન થાય તે રીતે ઉભા ખેતરોમાં રસ્તાઓ બનાવી માફિયાગીરી કરી રહ્યા છે. આ બાબતે ગામના કેટલાક ખેડૂતો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી મહેસુલ મંત્રી, પંચાયત મંત્રીને તેમના આઠ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર આપી રજૂઆત રૂબરૂ મળી કરી છે.લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગેરકાયદેસર રેતી ખનન રોયલ્ટી વગર રાત દિવસ ૨૪ કલાક રીતે ખનન બંધ કરાવવા તથા લીઝના બ્લોક આવેલ નથી તેવી જગ્યાએ પણ રેતી ખનન થાય છે તે બંધ કરાવવા રજુઆત કરી છે. આઠ મુદ્દાઓની રજૂઆત કરી તેમણે મુખ્યમંત્રી ને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે અત્યારે રેતી ખનન રાત દિવસ ચાલુ છે ગ્રામજનોના તથા તેમના કુટુંબ માટે જોખમકારક હોય તેની તપાસ કરી પગલાં ભરવા વિનંતી કરી હતી. રેતી ભરેલા વાહનો 24 કલાક અવર-જવર કરતા હોય ખેડૂતોને ખેતરમાં જવા આવા મુશ્કેલ હોય તેથી માથાફરેલ વાહન ચાલકોને ગ્રામજનો કહે છે તમે વ્યવસ્થિત ગાડી ચલાવો તો ટ્રક ચાલકો કહે છે કે તમારી પણ ગાડી ચડાવી દઇશું એમ ધમકી આપે છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.