કરજણ સ્થિત શ્રીમતી એચ. સી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તરફ જતો માર્ગ બિસ્માર બનતા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી રહી છે.વડોદરાના કરજણમા ૯૯ ગામ પૈકી એક જ કોલેજ છે, આ કોલેજમા અંદાજિત 850 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે, 1964 મા બનેલ કોલેજ કરજણ ના ૯૯ ગામ પેકિં એકજ કોલેજ આવેલ છે.
એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજમા જવાના મુખ્ય માર્ગ નેશનલ હાઇવે નં 48 ની બાજુ માંથી પસાર થાય છે.એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજ જવાનો અંદાજિત દોઢ કિલોમીટર નો માર્ગ અતિ બિસ્માર હાલતમા હોવાથી કોલેજ આચાર્ય દ્રારા એલ.એન્ડ ટી. , ધારા સભ્યો સહિત, હાઇવે ઓથોરિટી દિલ્હી સુધી લેખિત રજુવાતો કરી હોવા છતાં હજુ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજ ના આ દોઢ કિલોમીટર ના અતિ બિસ્માર મેન માર્ગ થી કોલેજ કર્મચારીઓ થી લઈ વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. કરજણ એચ.સી.પટેલ આર્ટ્સ – કોમર્સ કોલેજ ના આચાર્ય , વિદ્યાર્થી ઓ ની સરકાર પાસે માત્ર દોઢ કિલોમીટરના અતિ બિસ્માર મુખ્ય માર્ગ વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે…
:- તસ્લીમ પીરાંવાલા…કરજણ…





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.