અંકલેશ્વર નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ પાસે આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ ભટકાઈ જતા બસ ચાલક સહિત 3ને ઇજા પહોંચી હતી. લક્ઝરી બસ ચાલક સહિત ત્રણ મુસાફરોને નજીવી ઇજા હતી. બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ સામે ગત રાત્રી ના અરસામાં આગળ ચાલતી ટ્રક ની પાછળ લક્ઝરી બસ અથડાતા બસ ચાલક ત્રણને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અંસાર માર્કેટ સામે હાઇવે પર સુરત તરફ જતી લક્ઝરી બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી ટ્રક ની પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં લક્ઝરીના ચાલક સહીત 3 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.