Nari Prahar

News Website

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પીટલના કોવીડ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં પોલીસ દ્વારા થયેલ બચાવ કાર્ય નિમિત્તે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ ઇનામની તમામ રકમ મુખ્યમંત્રીની કોવીડ નિધીમાં જમા કરાવતી ભરૂચ જીલ્લા પોલીસ

Views: 83
0 0

Read Time:1 Minute, 54 Second

ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના કલાક ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પીટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બિમારીથી સંક્રમિત કુલ-૧૬ દર્દીઓ અને ૦૨(બે) નર્સ મળી કુલ-૧૮ નિર્દોષ નાગરીકોના મૃત્યુ પામ્યા હતા. આ અતિ ગંભીર આગ લાગવાના બનાવની જાણ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચનાઓને થતા તેઓની પોલીસ ફોર્સ સાથે તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતીને કાબુમાં લઇ ૨૫ જેટલા કોરોના પીડીતોને આગમાંથી આબાદ બચાવી લીધા હતા. ઉપરાંત આ મુશ્કેલ અને સંવેદનશીલ પરિસ્થિતીમાં કુશળતાપુર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખી હતી. જે અનુસંધાને ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાઓ ધ્વારા ઉપરોકત બનાવમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) નુ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. ઉપરોકત ઇનામની તમામ રકમ રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના અનુરોધથી તમામ પોલીસ અધિકારી તથા જવાનોએ મુખ્યમંત્રી કોવીડ નિધી ફંડમાં આપવાનો નિર્ણય કરેલ છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %