ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના કલાક ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પીટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બિમારીથી સંક્રમિત કુલ-૧૬ દર્દીઓ અને ૦૨(બે) નર્સ મળી કુલ-૧૮ નિર્દોષ નાગરીકોના મૃત્યુ પામ્યા હતા. આ અતિ ગંભીર આગ લાગવાના બનાવની જાણ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચનાઓને થતા તેઓની પોલીસ ફોર્સ સાથે તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતીને કાબુમાં લઇ ૨૫ જેટલા કોરોના પીડીતોને આગમાંથી આબાદ બચાવી લીધા હતા. ઉપરાંત આ મુશ્કેલ અને સંવેદનશીલ પરિસ્થિતીમાં કુશળતાપુર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખી હતી. જે અનુસંધાને ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાઓ ધ્વારા ઉપરોકત બનાવમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) નુ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. ઉપરોકત ઇનામની તમામ રકમ રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના અનુરોધથી તમામ પોલીસ અધિકારી તથા જવાનોએ મુખ્યમંત્રી કોવીડ નિધી ફંડમાં આપવાનો નિર્ણય કરેલ છે.
ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પીટલના કોવીડ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં પોલીસ દ્વારા થયેલ બચાવ કાર્ય નિમિત્તે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ ઇનામની તમામ રકમ મુખ્યમંત્રીની કોવીડ નિધીમાં જમા કરાવતી ભરૂચ જીલ્લા પોલીસ
Views: 83

Read Time:1 Minute, 54 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.