નેત્રંગ તાલુકામાં બુધવારે તાલુકા પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવા અને વિકાસ અધિકારી અલ્પના નાયરની આગેવાનીમાં બંધ બારણે બીજી સામાન્ય સભા યોજાઈ હતી. તાલુકાના વિકાસના કામો અને કાર્યની ચર્ચા વિચારણા કરવીએ પારદર્શી પ્રકિયા હોવાછતાં દરવાજા બંધ કરી મિટીંગ યોજાઇ હતી.સામાન્ય સભામાં તાલુકાના સામાન્ય નાગરિકોને સભામાં એન્ટ્રી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંદરના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિધિધ વિકાસલક્ષી પ્રશ્નોની ચર્ચા વિચારણા થઈ હતી. જ્યાં ટીમલા ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન, PM આવાસ યોજનાનો રી- સર્વે કરવાની માગણી , 15માં નાણાં પંચના વિકાસ લક્ષી કામોની વિગત, તાલુકા કચેરીએ મુલાકાત લેતા લોકો માટે વેઈટિગ રૂમ જેવાં ઉપરોક્ત કામોનો ઠરાવ કરવામા આવ્યો હતો. બંધ બારણે મિટીંગ યોજાઇ એ બાબતે ભરૂચ જિલ્લાના DDO યોગેશ ચૌધરી સાથેની ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સામન્ય સભામાં તમામ લોકોને પણ એન્ટ્રી આપવાની હોય છે. પારદર્શી કામો થતાં હોય ત્યાં છૂપાવવા જેવું કશું હોતું નથી. રૂલબુકમાં એવાં નિયમ પણ નથી કે બંધ બારણે મિટીંગ કરવાની હોય. સામન્ય સભામાં સામન્ય લોકો પણ હાજરી આપી શકે છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.