અંકલેશ્વરમાં ડોઝનો જથ્થો 1500 વેક્સિન લેવા આવ્યા 5000 લોકો
અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ કચેરી ખાતે વેક્સિન લેવા માટે સેન્ટર ખુલ્લે તે પૂર્વે જ લાઈનો લાગી હતી. જેમાં ઓનલાઇન રજીસ્ટર કરનાર તેમજ 45 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સહિત યુવાનોનો ધસારો રહ્યો છે. નોટીફાઈડ વેક્સિન સેન્ટર પર મંગળવારે 200 ડોઝની ફાળવણી કરાઇ હતી.
જેની સામે 400થી વધુ લોકો વેક્સિન લેવા પહોંચી જતા અરાજકતા ફેલાય હતી વેક્સિન સેન્ટર 9 વાગ્યાના બદલે ડોઝ મોડા આવતા 10 વાગ્યા બાદ ખુલ્યું હતું. જેને લઇ લોકો ભીડ જમા થઇ ગઈ હતી અને વેક્સીન લેવા માટે પડાપડી થઇ હતી.
ઑવેક્સિન સેન્ટરમાં પ્રવેશવા માટે ઠસોઠસ ધક્કામુક્કી કરતા નજરે પડ્યા હતા. કોરોના સામે સુરક્ષા કવચ મેળવવા માટે કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ ઘટ્યું છે પણ હજુ યથાવત છે ત્યારે લોકોની આ બેદરકારી પુનઃ કોરોના તીવ્ર ગતિ એ ફેલાવી શકે છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.