Nari Prahar

News Website

અંકલેશ્વરમાં ડોઝનો જથ્થો 1500 વેક્સિન લેવા આવ્યા 5000 લોકો

Views: 85
0 0

Read Time:1 Minute, 29 Second

અંકલેશ્વરમાં ડોઝનો જથ્થો 1500 વેક્સિન લેવા આવ્યા 5000 લોકો

 

અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ કચેરી ખાતે વેક્સિન લેવા માટે સેન્ટર ખુલ્લે તે પૂર્વે જ લાઈનો લાગી હતી. જેમાં ઓનલાઇન રજીસ્ટર કરનાર તેમજ 45 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સહિત યુવાનોનો ધસારો રહ્યો છે. નોટીફાઈડ વેક્સિન સેન્ટર પર મંગળવારે 200 ડોઝની ફાળવણી કરાઇ હતી.

જેની સામે 400થી વધુ લોકો વેક્સિન લેવા પહોંચી જતા અરાજકતા ફેલાય હતી વેક્સિન સેન્ટર 9 વાગ્યાના બદલે ડોઝ મોડા આવતા 10 વાગ્યા બાદ ખુલ્યું હતું. જેને લઇ લોકો ભીડ જમા થઇ ગઈ હતી અને વેક્સીન લેવા માટે પડાપડી થઇ હતી.

ઑવેક્સિન સેન્ટરમાં પ્રવેશવા માટે ઠસોઠસ ધક્કામુક્કી કરતા નજરે પડ્યા હતા. કોરોના સામે સુરક્ષા કવચ મેળવવા માટે કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ ઘટ્યું છે પણ હજુ યથાવત છે ત્યારે લોકોની આ બેદરકારી પુનઃ કોરોના તીવ્ર ગતિ એ ફેલાવી શકે છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %