ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓને કોરોનાની રસી મુકાઈ
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં કોરોનાની રસી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં શાકભાજીના વિક્રેતાઓને રસી મુકવામાં આવી હતી. આ વિક્રેતાઓએ હજુ પોતાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
કોરોના સામેની જંગ લડવા માટે રસીકરણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. વધુને વધુ લોકો રસી મુકાવે તે માટે આયોજન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ જઈ લોકોને રસી મુકવામાં આવી રહી છે. ત્યારે આજરોજ શક્તિનાથ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓને રસી મુકવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ સ્થળ ઉપર ગઈ હતી અને ત્યાં 31 જેટલા વિક્રેતાઓને રસી મુકવામાં આવી હતી. રસી માટે કેટલાક લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે. અને કેટલાક ડરથી રસી મુકવી નથી રહ્યાં ત્યારે આ રસી સુરક્ષિત છે અને તમામને રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.