Nari Prahar

News Website

નેત્રંગમાં નુકશાનના રિપોર્ટ બાદ 15 દિવસમાં 22.53 લાખ ચૂકવાયા

Views: 93
0 0

Read Time:1 Minute, 34 Second

નેત્રંગમાં નુકશાનના રિપોર્ટ બાદ 15 દિવસમાં 22.53 લાખ ચૂકવાયા

 

ભરૂચ જિલ્લામાં 70 કિમી પ્રતિ કલાકે આવેલાં તાઉતે વાવઝોડા અને વરસાદે વિનાશ નોતર્યો હતો. સર્વે રિપોર્ટ પ્રમાણે અંદાજિત નેત્રંગ તાલુકામાં ઉનાળુ વાવેતર અને બાગાયતી પાકને 70 ટકા જેટલું નુકશાન પોહચ્યું હતું. વરસાદ અને વાવઝોડાથી થયેલી નુકશાનીનો તાગ મેળવવા નેત્રંગ તાલુકાના વિસ્તરણ અધિકારી યોગેશ પવારે કેલીકુવા, બોરખાડી, કંબોડિયા, ચાસવડ વગેરેએ ગામનાં ખેડૂતોની મુલાકાત યોજી હતી.

નોડલ ઓફિસરની આગેવાનીમાં તાલુકા કક્ષાએ ટાસ્કફોર્સનું ગઠન કરી ઉનાળું અને બાયાયતી ખેતીના નુકસાનીનો સર્વે કરી રીપોર્ટ ઉપલી કક્ષાએ જમા કરાવ્યો હતો. ગ્રામ સેવકોએ યુદ્ધના ધોરણે કામગીરી કરી બે સપ્તાહથી પણ ઓછા સમયમાં નુકશાનીનો રીપોર્ટ જીલ્લા કક્ષાએ જમા કરાવ્યો હતો.જેના 15 દિવસમાં જ વળતરનું ચૂકવણું થઈ ગયું હતું. મંગળવારે નેત્રંગ તાલુકામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 13.95 લાખ, રાજ્ય બજેટ ફન્ડમાંથી 8.80 લાખ રૂપિયાની ચૂકવણી થઈ હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %