Nari Prahar

News Website

ભરૂચના 280 જર્જરીત મકાનો ઉતારવા નોટિસ

Views: 80
0 0

Read Time:1 Minute, 36 Second

ભરૂચના 280 જર્જરીત મકાનો ઉતારવા નોટિસ

 

ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસેલું પ્રાચીન નગરી છે. જેના કારણે શહેરમાં પ્રાચીન ઢબના બનેલા અનેક મકાનો અને હવેલીઓ છે. સમય જતાંની સાથે જુના ભરૂચમાં રહેતા લોકો તેમના જુના મકાનો ખાલી કરી સોસાયટી વિસ્તારોમાં વસી ગયાં હોવાથી તેમના મકાનો ખાલી પડયાં છે અથવા ભાડેથી આપ્યાં છે.

જુના ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં પડેલાં મકાનો જર્જરિત અને ખંડેર બની ગયાં છે. છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી પાલિકા આવા મકાન માલિકોને ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા નોટિસ આપે છે.આ વર્ષે પણ ભરૂચ પાલિકા દ્વારા શહેરના 280 મકાન માલિકોને તેમના જર્જરિત બનેલા મકાનો તાત્કાલીક ઉતારી લેવા અથવા તેનું સમારકામ કરાવીને સુરક્ષિત કરવાની નોટીસ અપાઈ છે. પરંતુ અમુક માલિકોના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે આવા મકાનો ચોમાસામાં ધરાશાયી થાય ત્યારે આસપાસના માસુમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જો પાલિકા દ્વારા આવા મકાન માલિકો સામે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી કરાય તેવી લોક માગ ઉઠી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %