Views: 82
Read Time:1 Minute, 5 Second
ભરૂચના વોર્ડ નં.10માં પાણીની કિલ્લતથી સ્થાનિકોમાં આક્રોશ
ભરૂચ નગરપાલિકાના હિન્દુ અને મુસ્લિમ ચુનારવાડમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ દર વર્ષે ઉનાળામાં ઉદભવતી પાણીની સમસ્યા માટે અનેક વખતે પાલિકામાં રજૂઆતો કરી છે છતાં પાણી ન આવતા લોકો પાલિકા સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે.
રમઝાન મહિનામાં પણ મુસ્લિમ ચુનારવાડમાં પાણી ન મળતા લોકોમાં રોષ છે.બુધવારે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદની આગેવાનીમાં વોર્ડ નં 10 ના નગરસેવક યુસફ મલેક અને ચુનારવાડના રહીશો સાથે વોટર વર્કસ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજુઆત કરી હતી.જોકે ચેરમને તેમની રજૂઆત સાંભળી પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા બાંહેધરી આપેલી છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.