Nari Prahar

News Website

નર્મદા નદીના 57 કિમી વિસ્તારમાં ખૂંટા મારી માછીમારી પર 61 દિવસ પ્રતિબંધ..

Views: 100
0 0

Read Time:2 Minute, 19 Second

ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 1 જૂન થી 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એજીન , સ્ટેઈક નેટસ , બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી. ટોર ટોર, હિલ્સા, રોઝનબર્ગ માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવી છે .આદેશની અવગણના કરી નર્મદા નદીના કિનારે આવેલ ગામો કુકરવાડા , વેરવાડા , વડવા , ભાડભૂત , કાસવા , સમની , મનાડ , મહેગામ , દહેજ , લુવારા , અંભેટા , જાગેશ્વર , સુવા , વેંગણી , કોલિયાદ , કલાદરા વિગેરે ગામોના કિનારા વિસ્તારમાં કેટલાંક સ્થળે નદીના અંદરના ભાગમાં મચ્છીમારી માટેની સીઝનની પૂર્વ તૈયારી ભાગરૂપે ખુંટા – ગલાના સ્વરૂપે નાંખવામાં આવે છે.નદીમાં ખૂંટાના કારણે માછીમારોની જાળને નુકશાન, હોળીને નુકશાન સાથે ઉંધી વળી જતા હોનારત થવાની સંભવના રહેલી છે. સાથે જ ભૂતકાળમાં ખૂંટાને કારણે અનેક વિવાદો, વિરોધની ઘટનાઓ પણ બની છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે .જિલ્લામાં આ પ્રતિબંધમાંથી બિન યાંત્રિક એક લકડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. હુકમનો અનાદર કરનાર ઈન્ડિયન પીનલ કોડ હેઠળ શિક્ષાપાત્ર ઠરશે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %